પન્નાલાલ પટેલની જાનપદી નવલકથા- મળેલા જીવ - આસ્વાદ અને અવબોધ - A Critical Study Malela Jeev By: Pannalal Patel ( A Novel) મળેલા જીવ - પન્નાલાલ પટેલ (A Gujarati Novel) ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણયયુગલ કાનજી-જીવીની હૃદયસ્પર્શી પ્રેમકથા 'મળેલા જીવ' દ્વારા પન્નાલાલ પટેલ ગુજરાતી વાંચકોના પ્રિય સર્જક બની રહ્યા . ઝવેરચંદ મેઘાણીએ એમને શતશત ફૂલડે વધાવ્યા- આ એકલ અને નિરાળો પ્રેમકિસ્સો નથી; આ તો સમગ્ર સ્થાનિક લોક્સંસારને પોતાના વમળમાં લેતું જલ્ભમ્મર છે. આ એક માનવયુગલની નહિ પણ આખો સમુદાય આ કથાની તાવણમાં ઉપરતળે થઇ રહ્યો છે. એ છે આ વાર્તાની શિલ્પ વિશિષ્ટતા.