બિરસા મુંડા.... મહાન ક્રાંતિકારી” 9 જૂન, 1900ના દિવસે સવારે આઠ વાગે રાંચીની જેલમાં જંગલના રાજા કહેવાતા આ યુવાને માતૃભૂમિની રક્ષા માટે શહાદત વહોરી લીધી.|| બિરસાએ રાંચીનાં જંગલોમાં બે મોરચે સંઘર્ષ કર્યો: એક, જંગલમાં સેવાના નામે લોભ-લાલચથી ધર્માંતર કરતી ઈસાઈ મિશનરીઓથી વનવાસી સમાજને બચાવવા માટે અને બીજો, અંગ્રેજ સલ્તનતથી પોતાની ધરતી મુક્ત કરાવવા.|| આ બંને મોરચે લડવા માટે બિરસાએ જંગલમાં ‘ઉલગુલાન’ આદર્યો હતો. ‘ઉલગુલાન’ એટલે ક્રાંતિનું દેશી નામ. બિરસા માત્ર ક્રાંતિકારી જ નહોતા, એ સમાજસુધારક પણ હતા. એમણે સમાજવ્યવસ્થા સુધારવા આપણી જ પ્રાચીન પરંપરાના પ્રતીકો – તુલસીપૂજા, ગૌહત્યા પર પ્રતિબંધ અને તિલક વગેરેને માન્યા.... See more
બિરસા મુંડા.... મહાન ક્રાંતિકારી” 9 જૂન, 1900ના દિવસે સવારે આઠ વાગે રાંચીની જેલમાં જંગલના રાજા કહેવાતા આ યુવાને માતૃભૂમિની રક્ષા માટે શહાદત વહોરી લીધી.|| બિરસાએ રાંચીનાં જંગલોમાં બે મોરચે સંઘર્ષ કર્યો: એક, જંગલમાં સેવાના નામે લોભ-લાલચથી ધર્માંતર કરતી ઈસાઈ મિશનરીઓથી વનવાસી સમાજને બચાવવા માટે અને બીજો, અંગ્રેજ સલ્તનતથી પોતાની ધરતી મુક્ત કરાવવા.|| આ બંને મોરચે લડવા માટે બિરસાએ જંગલમાં ‘ઉલગુલાન’ આદર્યો હતો. ‘ઉલગુલાન’ એટલે ક્રાંતિનું દેશી નામ. બિરસા માત્ર ક્રાંતિકારી જ નહોતા, એ સમાજસુધારક પણ હતા. એમણે સમાજવ્યવસ્થા સુધારવા આપણી જ પ્રાચીન પરંપરાના પ્રતીકો – તુલસીપૂજા, ગૌહત્યા પર પ્રતિબંધ અને તિલક વગેરેને માન્યા. આજે પણ ઝારખંડના વનવાસી વિસ્તારમાં બિરસા ભગવાન તરીકે પૂજાય છે અને એમનાં નામે લોકગીતો પણ ગવાય છે: || ‘હમ અપની જમીન સે ગોરોં કો ભગા દેંગે... ઓ ગોરે આદમિયોં, ભાગો, તુરંત ભાગો, તુમ્હારા ઘર પશ્ચિમ મેં હૈ, તુમ ચલે હી જાઓ...’